Thursday, July 13, 2017

ચોપડીના બંધ પાને ફૂલની પાંખડી,
અને વર્ષો નાં વહેણ,

એની રાખ ને તો સુવાસ શેની,
દાયકાઓ વિતેલા કહેણ..

જર્જર સ્મારકની ભીતર , 
નિર્જન તિરાડ દિવાલોની,

તો પણ એમાં વસ્તી છે,
એક વરસાદે પાંગરેલા ગુલાબોની..

 સત્ય શું છે? એ શોધવું જ છે અસત્ય,
માણવો એવી અવસ્થાનો અવતાર..

દ્રષ્ટિગોચર છે એનો જ સ્વીકાર,
ઘણું ભીતર થોડું બહાર..!
-સ્વરચિત