Saturday, September 07, 2013

શું કામ પડવું જ્ઞાનહીન દિગ્ગજોની,
અસરકારક માથાકુટમાં..?

છેજ એ અને રહેવાના પણ,
અધૂરા ઘડા છલકાતા અખૂટ મા..!

બહુ અઘરાં હોય છે,
આવા કૃત્યો સામાન્યતઃ..

ધરાર ધરાવવી હોય છે,
 આવી ભૂતિયા સરણી મૃત્યુંપર્યન્તઃ...!

થાય પણ શું આપડાથી,
મરાતી તો નથી તેને બે-ચાર..

તેના અસ્ખલિત ત્રાટકો સામે,
ટૂંકા પડે છે આપડા વિચાર..!

એ વિચાર જ થથરાવે છે,
જો હોય આ બધી સ્ત્રી-મતિ..

ભાઈ 'રાહુલ' સંભાળજે,કે ના હોય,
 આવી વૈચારિક તારી શ્રી-મતિ..!!
-સ્વરચિત




No comments:

Post a Comment